Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સોમનાથ મંદિરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે વિશેષ પૂજા-જાપ કરાયા

વેરાવળ-પ્રભાસપાટણ,તા.૧૯ : માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી  નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા માન.વડાપ્રધાન શ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમીતે શ્રી સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને  દીર્ઘાયુષ્ય માટે  તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન.  નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાયં સમયે  સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજવલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે  પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા ભાજપ  ઝવેરીભાઇ ઠકરાર, દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાનના જન્મદિને શ્રી સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા કરવામાં આવેલ.

(11:23 am IST)