Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પીપલાણા સ્વામિનારાયણ મંદિરે અનુષ્ઠાન પ્રારંભ

માળીયા મિયાણા : સ્વામી નારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થ ધામ પીપલાણાનાં સ્વામી મંદિરનાં મહંત  મોહન પ્રસાદ સ્વામીની આજ્ઞા થી અને કૃષ્ણ જીવન સ્વામી નીલ કંઠ સ્વામી વ્રજ જીવન સ્વામી નિર્ગુણ જીવન સ્વામી ગોવિંદ સ્વામી નિર્ભય ચરણ સ્વામી અને પાર્ષદ દિનેશ ભગત અને સત્સંગ સમાજની ભારે જહેમત થીઅતિ વૃષ્ટિ અને કોરોનાની મહા મારી થી રક્ષણ માટે પવિત્ર પુરુષોત્ત્।મ માસ નિમિતે પીપલાણાનાં સ્વામી મંદિરનાં સભા મંડપમાં ૩૦ દિવસ સુધી જન મંગલ હોમાત્મક મહા વિષ્ણુ યાગ અને ભકત ચિંતામણી હોમાત્મક યજ્ઞ અને અનુષ્ઠાનનો પ્રારંભ કરેલ છે વિશ્વ કલ્યાણનાં હેતુથીજ આ મહા આયોજન કરેલ છે. યજ્ઞનાં પ્રારંભના સમયે તમામ સંતો એ કોરોનાની મહામારી થી બચવા માટે અને અતિવૃષ્ટિ થી રક્ષણ મળે એવી પ્રાર્થના કરી છે. તસ્વીરમાં યજ્ઞમાં ઉપસ્થિત સ્વામીઓ તથા ભકતજનો નજરે પડે છે. (તસ્વીર મહેશ કાનાબાર)

(11:21 am IST)