Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભાવનગરમાં ૩૬ કેસો

જિલ્લામાં નોંધાયેલા ૩,૬૯૪ કેસો પૈકી ૪૦૭ સારવાર હેઠળ

ભાવનગર,તા. ૧૯: વધુ ૩૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૬૯૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા વરતેજ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના મેઢા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૪, તળાજા ખાતે ૨, તળાજા તાલુકાન મણાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સાંઢખાખરા ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૨૨ એક કુલ ૫૦ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિલમાંથી રજા અપાઇ છે

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૬૯૪ કેસ પૈકી હાલ ૪૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૨૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૫ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:42 am IST)