Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ધોરાજીમાં ભાડેરમાં બે બાળકોની હત્યા અને પત્નિ તથા પુત્રના મોતના પ્રયાસમાં શબીર રાઠોડની ધરપકડ

આર્થિક ભીંસથી કંટાળીને સામુહિક આપઘાતની ઘટનામાં ગુન્હો

ધોરાજી,તા.૧૯:પોરબંદર ના કડીવાડ વિસ્તાર માં રહેતાં શબ્બીર ભાઈ આમદભાઈ રાઠોડ આથીક સંકડામણથી કંટાળીને ચાર દિવસથી ઉપલેટા ખાતે રહેતાં તેમના કુટુબીજનના ઘરે શબ્બીરભાઈ ઉવ ૩૫ તથા તેમનાં પત્ની રૂકશાના બેન ઉવ ૨૮ પુત્રી રેહાના શબ્બીર ઉવ ૧૦ ,પુત્ર મોહમદ ઉવ ૮ તથા નાનો પુત્ર. એહમદ ઉવ ૪ સાથે આવેલ હતાં શુક્રવારે સવારે ઉપલેટા કુટુબીજનને કહેલ કે અમારે માણાવદર અન્ય સગાં સંબંધી ને ત્યા જવું છે તેમ કહીને ખાનગી રીક્ષા માં ભાડેર ગામે આખુ પાંચેય કુટુબીજનો પહોંચીને ભાડેર ગામના તળાવ માં સામુહિક આપધાત કરવાના ઈરાદા સાથે એકી સાથે મુસ્લીમ પરીવારે ડુબકી મારતાં તળાવ નજીક ભાડેર ગામ ના ભરવાડ મોટાભાઈ ગોબરભાઇ વકાતરનું ધ્યાન પડી જતા તાત્કાલિક નદીમાં જઈને બચાવવાનો પ્રયાસ કરીને ગ્રામજનોનુ દયાન પડતાં રઘુવીરસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા, કુલદીપ સિંહ ચુડાસમા, વિજય સિંહ વાઘેલા, વિગેરે ગામજનોએ તળાવના પાણીમાંથી મૂસ્લીમ પરીવારને બહાર કાઢેલ જેમાં પુત્રી રેહાના શબ્બીર ઉવ ૧૦ તથા પુત્ર મોહમ્મદ શબ્બીર ઉવ ૮નું ઘટના સ્થળે મોત નિપજયું છે શબ્બીરભાઈ આમદ ભાઈ રાઠોડ ઉવ ૩૬ તથા તેની પત્ની રૂકશાનાબેન ઉવ ૨૮ પૂત્ર ઉવ ૪ ને ગામજનોએ તળાવના ઉંડા પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યા હતા.

બાળકોને પિતા સબ્બીર આમદ રાઠોડ રહે કડિયા પ્લોટ પોરબંદર વાલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પાટણવાવ પી.એસ.આઇ વાય.બી.રાણાએ આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૩૦૭ મુજબનો ગુનો નોંધી ધરપકડની કરી છે. ઉપરોકત બનાવવા અંગે પાટણવાવ પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)