Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ખીરસરાઃ શ્રી દાળેશ્‍વર મહાદેવ મંદિરના પૂ.હેમંતગીરી બાપુની પુણ્‍યતિથીએ સોમવારે સંતવાણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૯: ગોંડલ તાલુકાના સુપ્રસિદ્ધ શિવ મંદિર શ્રીદાળેશ્વર મહાદેવ મંદિરના મહંત કૈ.વા.હેમંતગીરી ફુલગીરી બાપુની પુણ્‍યતિથિ નિમિત્તે તા.૨૩/૫/૨૦૨૨ સોમવારના રોજ સંત સામ્‍યા પ્રસાદી તેમજ રાત્રે ૯ વાગ્‍યે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે જેમાં સુપ્રસિદ્ધ ભજનીક ખીમજીભાઈ ભરવાડ નિતીનગીરીબાપુ વજુગીરીબાપુની જુગલ બંધી તથા દેવરાજભાઈ ગઢવી સંતવાણી પિરસસે તો તમામ લોકોએ સંતવાણીનો લાભ લેવા ચેતનગીરી હેમંતગીરી મયુરગીરી હેમંતગીરીએ ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે

(10:27 am IST)