Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કાલે પાલીતાણામાં દાઉદી વ્હોરા સમાજનાં ધર્મગુરૂનું આગમન

જસદણ તા. ૧૭ :.. પાલીતાણા ખાતે કાલે રવિવારે દાઉદી વ્હોરા સમાજના પ૩ માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના મુફદલ ભાઇ સાહેબ 'સૈફુદીન' (ત.ઉ.શ.) પધારતાં હોવાથી પાલીતાણાના પ્રત્યેક દાઉદી વ્હોરા નિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

નામદાર ડો. સૈયદના સાહેબનો મુકામ હાલ ભાવનગર હોય ત્યાંથી તેઓ પાલીતાણા આવી રહ્યા છે.

પાલીતાણામાં ડો.સૈયદના સાહેબ પ્રથમવાર પધારી રહ્યા હોવાથી પાલીતાણાવાસીઓએ પોતાના સગા-સબંધીઓને પણ સૈયદના સાહેબના દિદાર થાય તે હેતુથી આમંત્રણ પાઠવી દીધુ હોવાનું જાણવા મળેલ છે.

(11:57 am IST)