Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ધોરાજી વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા જન્‍માષ્‍ટમીની શોભાયાત્રા અને ભવ્‍ય લોકમેળાનું આયોજન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૮: ધોરાજી વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા જન્‍માષ્ટમી ની શોભાયાત્રા અને ભવ્‍ય લોકમેળાનું આયોજન વિશ્વ હિન્‍દુ પરિષદ ગોંડલ જિલ્લાની જિલ્લા બેઠક ભક્‍ત શ્રીતેજાબાપાની જગ્‍યામાં ધોરાજી ખાતે મળેલી હતી. આ બેઠકમાં જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાનીએ ષષ્ઠીપૂર્તિ અભિયાન અને હિતચિંતક અભિયાનની માહિતી આપી હતી .

આ બેઠકમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા ધોરાજીમાં જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રા તથા ભવ્‍ય લોકમેળાનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્‍યું . આ બેઠકમાં જિલ્લા અધ્‍યક્ષ ધર્મેન્‍દ્રભાઈ રાજાણીએ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ ધોરાજી શહેર અને તાલુકાના હોદ્દેદારોની નિમણુંકની જાહેરાત કરી હતી .

જેમાં વિશ્વ હિન્‍દુ પરિષદ ધોરાજી શહેર અધ્‍યક્ષ - સંદીપભાઈ ટોપિયા બજરંગ દળ ધોરાજી તાલુકા પ્રમુખ -શૈલેષભાઇ પાલ, બજરંગ દળ ધોરાજી તાલુકા ઉપપ્રમુખ- જયરાજભાઈ સરવૈયા, બજરંગ દળ ધોરાજી શહેર પ્રમુખ- વર્ધમાનભાઈ માથુકિયા, બજરંગ દળ ધોરાજી શહેર ઉપપ્રમુખ- પાર્થભાઈ કાછડીયા વિગેરે નવા હોદ્દેદારોનું જિલ્લા અધ્‍યક્ષ ધર્મેન્‍દ્રભાઈ રાજાણી તથા જિલ્લા ઉપાધ્‍યક્ષ કનુભાઈ લાલુએ પરિષદનો ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું, આ બેઠકમાં વિશાળ સંખ્‍યામાં પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:00 pm IST)