Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જુનાગઢમાં અગાઉના મનદુઃખથી માર મારી યુવાનનું અપહરણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮:  જુનાગઢમાં અગાઉના મનદુઃખથી માર મારી ચાર શખ્‍સો યુવાનનું અપહરણ કરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢમાં સુખનાથ ચોક નજીક આવેલ કુંભારવાડા સ્‍થિત અકબરી એપાર્ટમેન્‍ટ પાછળ રહેતા હુસેન ઇબ્રાહીમભાઇ ભટ્ટીને અગાઉ કાળા મુસા સાંધ વગેરે સાથે મનદુઃખ થયેલ.

ગત તા.૧૭ જુનના રોજ રાત્રીના હુસેન રેલવે સ્‍ટેશન રોડ ખાતેની એક હોટલ પાસેથી પસાર થઇ રહયો હતો. ત્‍યારે કાળા મુસા તેમજ તેનો પુત્ર આમીન, ઇરસન અને હાજી જુણેજા માર મારી યુવાનને ઉઠાવી ગયા હતા. આ અંગે હુસેનની માતા મદીનાબેને ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:58 pm IST)