Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

બોટમાંથી દરીયામાં ખાબકતા માંગરોળના યુવાન માછીમારનું મોત

(વિનુ જોષી) જુનાગઢ, તા., ૧૮: માછીમારી દરમ્‍યાન બોટમાંથી દરીયામાં ખાબકતા માંગરોળ બંદરના યુવાન માછીમારનું મોત થયું હતું.

માંગરોળ બંદર ખાતે ૪પ વર્ષીય મગનભાઇ જીણાભાઇ હળપતિ સિધ્‍ધાર્થભાઇ અજુડીયાની બોટમાં માચ્‍છીમારી કરવા ગયેલ.

પરંતુ ગઇકાલે વહેલી સવારે મગનભાઇ લઘુશંકા કરવા ગયા હતા અને બોટમાંથી પગ લપસી જતા દરીયામાં ખાબકયા હતા. જો કે સાથી ખલાસીઓએ દરીયામાં જાળ નાખીને મગનભાઇ બહાર કાઢી માંગરોળની સરકારી હોસ્‍પીટલમાં સારવાર માટે ખસેડયા હતા.

પરંતુ ફરજ પરના તબીબે મગનભાઇને મૃત જાહેર કરતા ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(11:54 am IST)