Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ભાવનગર સંત વાસુરામ દુઃખભંજન સનાતન મંદિર ધાર્મિક કાર્યક્રમ

રાજકોટ તા. ૧૮ : ભાવનગરના સિંધુનગર, દેવુમા ચોક ખાતે આજે સંત વાસુરામ દુઃખભંજન સનાતન મંદિર ખાતે આજે સંત ૧૦૮ સાંઇ જૈસલ ફકીર સાહેબજીનો વાર્ષિક જન્‍મોત્‍સવ યોજાયો છે.

જે નિમિતે આજે સવારે ઝંડા સાહેબ શોભાયાત્રા, સંત વાસુરા બાલક મંડલીનો પ્રોગ્રામ, ભહેરાણા સાહેબ તથા સંત પ્રભારામ હોલમાં લંગર પ્રસાદ યોજાયો હતો. સાંજે ૫ થી ૭ મંદિરમાં મહાઆરતી સાહેબ તથા રાત્રીના ૮ થી ૧૪ દરમિયાન મહાલંગર પ્રસાદ યોજાયો છે.

આ તકે હજુરીરૂપ સાંઇ કાલીરામ સાહેબનો સત્‍સંગ, પ્રવચન અને ભકિતમય કાર્યક્રમ યોજાયો છે.

પ.પૂ. સાંઇ નંદલાલ ફકીર સાહેબ, મહામંડલેશ્વર સ્‍વામી હંસરામજી તથા ભાઇ સાહેબ દિપકકુમાર સહિતના આશિર્વાદ પાઠવશે.

(12:26 pm IST)