Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

મોરબીના રામ મહેલ મંદિરમાં મહાઆરતી કરી અંબાજીમાં મોહનથાળ પ્રસાદના નિર્ણયને આવકાર્યો.

મોરબી : અંબાજીમાં મોહનથાળ પ્રસાદ અંગે ચાલેલા વિવાદ બાદ અંતે મંદિર ટ્રસ્ટે મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે જે નિર્ણયને આવકારતા મોરબી હિંદુ યુવા વાહિની દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો અને દરબાર ગઢ નજીકના રામ મહેલ મંદિર ખાતે મહા આરતી કરવામાં આવી હતી

  આ મહાઆરતીમાં હિંદુ યુવા વાહિનીના જીલ્લા પ્રમુખ કે બી બોરીચા, જીલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ કુંભારવાડિયા, જીલ્લા ઉપાધ્યક્ષ વિવેક પટેલ, જીલ્લા ઉપાધ્યક્ષ ઈશ્વરભાઈ કણઝારીયા, જીલ્લા મંત્રી જીતુભાઈ ચાવડા, જીલ્લા ઉપાધ્યક્ષ વિક્રમભાઈ શેઠ તેમજ અધ્યક્ષ ચેતનભાઈ પાટડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:21 pm IST)