Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

માતાના મઢ મધ્યે ઘટસ્થાપન વિધિ સાથે અશ્વિન નવરાત્રિનો પ્રારંભ :રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપનવિધિ

મંદિર બંધ હોઈ સાદગીભર્યા માહોલમાં પુજારી પરિવારની ઉપસ્થિતિમાં ઘટસ્થાપનની વિધિ પુર્ણ

(વિનોદ ગાલા દ્વારા )  ભુજ :  મા આશાપુરા માતાજીના મંદિર મધ્યે રાજાબાવા  યોગેન્દ્રસિંહજીના હસ્તે પરંપરાગત  ઘટસ્થાપનવિધિની ધાર્મિક વિધિ સંપન્ન થઈ છે. જે તસવીરોમાં નજરે પડે છે.

કોરોનાની મહામારીના કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ હોઈ સાદગીભર્યા માહોલમાં પુજારી પરિવારની ઉપસ્થિતિમાં ઘટસ્થાપનની વિધિ પુર્ણ થઈ હતી.
કચ્છના વહિવટીતંત્રના જાહેરનામા અનુસાર માતાના મઢનું મંદિર ૨૫/૧૦ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે, દરરોજ આરતી, પૂજાવિધિ ઉપરાંત પરંપરાગત ધાર્મિકવિધિઓ થશે.

(11:24 pm IST)