Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સાવરકુંડલામાં રામનવમીની પૂર્વ સંધ્‍યાએ અયોધ્‍યામાં બિરાજમાન શ્રીરામ દર્શનની ઝાંખીનો ફલોટ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૭: સમગ્ર સૌરાષ્‍ટ્ર ,ગુજરાત અને ભારતમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની જન્‍મ જયંતિ ની ઉજવણી નો થનગનાટ અનુભવાય રહ્યો છે ત્‍યારે સાવરકુંડલા ખાતે પણ શ્રીકળષ્‍ણ જન્‍મ મહોત્‍સવ સમિતિ દ્વારા કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ સાહેબ ના આશીર્વાદ સાથે દેવડા ગેટ ખાતે અયોધ્‍યામાં બિરાજમાન ભગવાન શ્રી રામના બાળ સ્‍વરૂપના દર્શનનો આકર્ષક ફ્‌લોટ ઉભો કરાયો હતો. આકર્ષક એવા આ ફ્‌લોટના દર્શન કરવા સમગ્ર સાવરકુંડલા શહેરમાંથી ભાવિકજનો ઉમટી પડ્‍યા હતા અને ભગવાન શ્રી રામના બાળ સ્‍વરૂપના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી અહીં કબીર ટેકરી આશ્રમ ના મહંત શ્રી નારણદાસ સાહેબ અને રામાનંદ ગુરુકુળનાં ઘનશ્‍યામ બાપુ એ ખાસ ઉપસ્‍થિત રહી કાર્યકરોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

(1:27 pm IST)