Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કોડીનારના પાંચ પીપળવા ગામે ‘રામજી મંદિર'નો શીલાન્‍યાસ

  કોડીનારઃ તાલુકાના પાંચ પીપળવા ગામે નવું રામ મંદિર બનશે. રામજી મંદિરનો શીલાન્‍યાસ પ્રંસંગ સંપન્ન થયો હતો. પાંચ પીપળવા ગામે વર્ષો પુરાણું રામજીમંદિર હતું. એજ જગ્‍યાએ નવું રામજી મંદિર બનાવવા નું ગામ સમસ્‍ત નિર્ણય કરવામાં આવતા પાંચ પીપળવા રામ મય બની ગયું છે.જૂનું રણજી મંદિર હાલ સેવા પૂજા માટે અન્‍યત્ર ફેરવવા માં આવ્‍યા બાદ આ જૂનું મંદિર પાડી નખાયું હતું. શાષાોકત વિધિથી નવા રામજી મંદિરનો શીલાન્‍યાસ સંપન્ન થયો હતો. ગામના પાંચ નવ દંપતીઓના હસ્‍તે શીલાન્‍યાસવિધિ ગોર મહારાજની ઉપસ્‍થિતિમાં સંપન્ન થયો હતો.. ધાંગધ્રાનાં લાલ પથ્‍થરથી આ મંદિરનું નિર્માણ થશે. આ પ્રસંગે ગામના સરપંચ નરસિંહભાઇ ડોડીયા. ...પી એસ.ડોડીયા . .. ઉપ સરપંચ રમેશભાઈ ડોડીયા...સહિત ગામ ના તમામ આગેવાનો.... ઉપસ્‍થિત રહ્યા હતા.કે.વી. બારડ પણ હાજર રહ્યા હતા. શીલાન્‍યાસ થયો તે તસ્‍વીર.

(10:52 am IST)