Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કેશોદમાં એક મહિલાને ડીલીવરી આવ્‍યા બાદ બેદરકારીને કારણે મળત્‍યુ થયો હોવાનો આક્ષેપ

(કમલેશ જોષી) કેશોદ, તા. ૧૬ :          કેશોદમાં વધુ એક પ્રસૂતાનું ડીલીવરી દરમીયાન મોત થયુ હોવાનું સામે આવ્‍યું છે.અગાઉ માણાવદર તાલુકામાં ત્રણ પ્રસુતા અને ત્‍યારબાદ જુનાગઢમાં ત્રણ પ્રસુતા મહિલાના ડીલીવરી બાદ મળત્‍યુ થયાના બનાવો સામે આવ્‍યા છે.ત્‍યારે વધુ પ્રસુતા મહિલાનું ડીલીવરી બાદ મળત્‍યુ થયું છે 

કેશોદ તાલુકાના રાણીંગપરા ગામમાં રહેતી શારદાબેન લખમણભાઈ સોલકીની ૨૫ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડીલીવરી દરમ્‍યાન મળત્‍યુ થયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં નોધાઇ છે.સવિતાબેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. જેઓ ડીલીવરી માટે કેશોદમાં બસ સ્‍ટેન્‍ડ સામે આવેલ ડૉ. અઘેરા હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામાં આવ્‍યા હતા.જ્‍યાં તેમને પુત્રીનો જન્‍મ થયો હતો.અને પુત્રીના જન્‍મ બાદ લોહી નીકળતું હોય જે બાબતને લઈને પરિવારજનો દ્વારા ડોક્‍ટરને જાણ કરવામાં આવી હતી.પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતા ડોકટરે તેમને વધું સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્‍પિટલ ખાતે જવા જણાવ્‍યુ હતુ જુનાગઢ  સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ થયું હતું.મુતક મહિલાની   માતાએ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી કેશોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.આમ જુનાગઢ જીલ્લામાં પ્રસુતાના મોતનો વધુ એક બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

(1:33 pm IST)