Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જામનગર પોલીસ દ્વારા ગુમશુદા વ્‍યકિતની માહિતી આપવા જાહેરાત

જામનગર તા.૧૬: સીટી એ પોલીસ ડિવિઝન ખાતે જાણવા જોગ નં.૧૧/૨૦૨૩ સ્‍ટે.ડા.એ.નં.૧૬/૨૦૨૩ તારીખ ૨૩/૦૭/૨૦૨૩ મુજબ કામ જાહેર કરનાર પંકજભાઈ રમેશભાઈ માઉ, સંપર્ક નંબર- ૯૪૦૮૭૪૨૮૯૫, જ્ઞાતિ ભાનુશાળી, ઉંમર વર્ષ ૨૬, ધંધો- વેપાર, રહેઠાણની વિગત દિગ્‍વિજય પ્‍લોટ ૫૬ નંબર, ઓશવાળ હોસ્‍પિટલવાળી શેરી, જામનગરના રહેવાસી છે. તેમણે જાહેર કર્યું છે કે તેમના પિતા રમેશભાઈ રતનશીભાઈ માઉ, ઉંમર વર્ષ ૫૭, વ્‍યવસાયે નિવૃત, રહેઠાણની વિગત અત્રે જણાવ્‍યા મુજબ છે. રમેશભાઈ તારીખ ૧૨/૦૮/૨૦૨૩ ના રોજ સાંજના ૦૬:૧૧ કલાકે તેના ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા છે. તેઓ આજ દિવસ સુધી પોતાના ઘરે પરત ફરેલા નથી. તેમજ આજ દિવસ સુધી તેમની શોધખોળ કરવા છતાં તેઓની કોઈ ખબર મળી નથી. અત્રે જણાવ્‍યા અનુસાર ગુમ થનારી વ્‍યક્‍તિ મળી આવે તો જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના ફોન નંબર ૦૨૮૮- ૨૫૫૦૨૪૩, પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર ૦૨૮૮- ૨૫૫૦૨૦૦ અને અત્રેની કચેરીના ઈમેઈલ એડ્રેસ polstn-da-jam@g ujarat.gov.in પર જાણ કરવાની રહેશે.

ગુમશુદા વ્‍યક્‍તિ શરીરે મજબૂત બાંધો ધરાવે છે. તેઓ ઘઉંવર્ણા રંગ અને આશરે સાડા પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેઓ ગુમ થયા ત્‍યારે બ્‍લ્‍યુ રંગનો ઝભ્‍ભો અને સફેદ રંગનો લેંઘો અને ગળામાં કેસરી ફાળિયું રાખ્‍યું છે. તેઓ ગુજરાતી ભાષાથી અવગત છે. તેમ સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ. શ્રી એમ.એમ.જાડેજા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.c

(12:02 pm IST)