Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ડો. ભરતભાઇ બોધરાની સ્‍ટાર પ્રચારક તરીકે વરણી થતા જસદણમાં આવકાર

(હિતેશ ગોસાઈ-હુસામુદીન કપાસી દ્વારા) જસદણતા.૧૬: ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની ૨૬ સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્‍ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા, કેન્‍દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્‍મળતિ ઈરાની અને એસ.જયશંકર સહિત ભાજપના રાષ્‍ટ્રીય અગ્રણી નેતાઓ અને કેન્‍દ્રીય મંત્રીઓ ભાજપના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ સ્‍ટાર પ્રચારક યાદીમાં જસદણના પુર્વ ધારાસભ્‍ય અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરાનું નામ આવતાં તેમને જસદણ વીંછિયા પંથકમાં ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડે  જણાવ્‍યું કે ડો. ભરતભાઈ બોઘરા છેલ્લાં ૧૫ વર્ષથી વધું સમય પાર્ટી માટે તન મન અને ધનથી કામ કરી રહ્યાં છે ખાસ કરીને એમણે ધારાસભ્‍ય પદેથી જસદણ વીંછિયામાં અબજો રૂપિયાના વિકાસના કામો કર્યા તેઓની સ્‍ટાર પ્રચારક યાદીમાં સમાવેશ થવાથી તેમને અભિનંદન પાઠવું છું.(૯.૧૯)

 

મોરબીના હરીપર ઓવરબ્રિજ પાસે ખાડા બુરતું તંત્રઃ મોરબી : હરીપર ઓવરબ્રિજ પાસે રોડ પર પડી ગયેલા ખાડા પૂરવાની કામગીરી  હાથ ધરવામાં આવી છે. મહત્‍વનું છે કે, અહીં ટ્રાફિકજામ થયો હતો અને ઓવરબ્રિજ ચડતી ઉતરતી વખતે વાહનો પસાર થવામાં રોડ પર પડેલા ખાડાઓને કારણે સમય લાગતો હતો. આ બાબતે મોરબીના ટ્રાફિક ઇન્‍સ્‍પેક્‍ટર કે.એમ. છાસિયાની સૂચના મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે ટેલિફોનથી થયેલ ચર્ચા મુજબ ખાડાઓ પુરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ કામગીરી ડી.બી. ઠકકર (પી.એસ.આઇ. ટ્રાફિક), પી.એસ.આઇ. ગઢવી માળીયા પોલીસ સ્‍ટેશન તથા તેમના સ્‍ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ મોરબીની ટીમ દ્વારા કરવામાં આવી છે.

(11:58 am IST)