Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસ અંતર્ગત ત્રિ-દિવસીય મહોત્સવની ઉજવણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના ૨૬૨૨ માં જન્મ કલ્યાણક દિવસ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે

જેમાં તારીખ ૧૯ ને શુક્રવારે શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યો સંગીત સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ ભણાવશે સવારે ૦૮ : ૧૫ કલાકે દરબાર ગઢ દેરાસર ખાતે સ્નાત્ર મહોત્સવ પૂર્ણ થયે વિશિષ્ટ પ્રભાવના કરવામાં આવશે તારીખ ૨૦ ને શનિવારે સમસ્ત જૈન સંઘોની પાઠશાળાના બાળકો તથા બાલિકાઓ વિવિધ ભવ્ય કાર્યક્રમ રજુ કરશે જેમાં સવારે ૦૮ : ૪૫ કલાકે દોશી પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીના મંદિર બાજુમાં, મંદિરના પટાંગણમાં

, જાની શેરી દરબાર ગઢ ખાતે કાર્યક્રમ યોજાશે જેમાં વિશેષ આકર્ષણ કાર્યક્રમના દાતા પરિવાર પ્રભુ મહાવીર સ્વામીના પારણાને શ્રી ધર્મનાથ જૈન બેન્ડ દ્વારા વાજતે ગાજતે રાત્રે ૦૮ : ૩૦ કલાકે દેરાસરથી પ્રોગ્રામ સ્થળ ખાતે પ્રભુ મહાવીર સ્વામીનું પારણું પધરાવશે અને લક્કી ડ્રોના કુપનો પણ આપવામાં આવશે કાર્યક્રમના અંતે વિશિષ્ટ પ્રભાવનાનં આયોજન કરેલ છે જેનો લાભ લેવા મોબાઈલ નંબર ૭૭૭૮૮ ૦૦૦૬૮ અને ૯૪૨૬૨ ૩૭૪૯૮ પર ફોન કરવા જણાવ્યું છે.
તેમજ તા. ૨૧ ને રવિવારે રંગોળી સ્પર્ધા યોજાશે જેમાં પ્રભુ મહાવીર સ્વામીના જીવન ચરિત્ર પરથી કોઈપણ ચિત્ર બનાવવાનું રહેશે જે સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ ૨૦ ના સાંજે ૬ સુધીમાં મોબાઈલ નંબર ૯૫૭૪૫ ૪૨૪૨૭ પર નામ નોંધાવવાનું રહેશે તેમજ રાત્રીના ૭ કલાકે દરબાર ગઢ દેરાસરના હોલમાં મંડળના સભ્યો દ્વારા પુ.ગુરુભગવંતની નિશ્રામાં સંધ્યા ભક્તિ કાર્યક્રમ રાખેલ છે
જે કાર્યક્રમોનો લાભ લેવા શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ મોરબીના પ્રમુખ નીલેશભાઈ શાહ, મંત્રી જયેશભાઈ કોઠારી તેમજ મંડળના તમામ હોદેદારોએ નિમંત્રણ પાઠવ્યું છે.

   
(9:20 am IST)