Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

જેતપુરના નવાગઢમાં શિવમહાપુરાણમાં વૈષ્‍ણવાચાર્ય આશ્રમકુમારજીની પધરામણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૬:  અત્રેના નવાગઢ પટેલ ચોક ખાતે આવેલ રામજી મંદિરનો અષ્‍ટમ પાટોત્‍સવ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં શિવ મહાપુરાણનું આયોજન થયેલ હતું.

આ મહાપુરાણમાં વૈષ્‍ણવાચાર્ય શ્રી આશ્રયકુમારજી મહોદયની પધરામણી થયેલ. તેમના વચનામૃતથી ઉપસ્‍થિત વૈષ્‍ણવનો ભાવ વિભોર બની ગયા હતા. નવાગઢમાં આવેલ શ્રી વૃજધામ હવેલી ખાતે વૈષ્‍ણવો ભારે સંખ્‍યામાં દર્શનાર્થે આવતા હોય શ્રી આશ્રમ કુમારજીની પધરામણીથી વૈષ્‍ણવોમાં ભારે ઉત્‍સાહ છવાયો હતો

(4:22 pm IST)