Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

પડધરી : અનિરૂધ્‍ધસિંહ જાડેજાને શ્રધ્‍ધાંજલી અર્પણ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૧૬: ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વતની અને હરધરોળ રાજપુત સમાજના પ્રમુખ પથુભા જશુભા જાડેજા (દાજી બાપુ)ના પુત્ર સ્‍વ.અનિરૂધ્‍ધસિંહ જાડેજા (ઉ.વ.૪૩)નું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન થતા સદગતનું બેસણું ખાખરા મુકામે તેમના નિવાસસ્‍થાને રાખવામાં આવેલ  જેમાં સગા સબંધીઓ સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ સ્‍નેહીજનો ઉપસ્‍થિત  રહી જાડેજા પરીવારજનોને સાંત્‍વના આપેલ તેમજ સદગત આત્‍માને શ્રધ્‍ધાંજલી આપેલ. સ્‍વ.અનિરૂધ્‍ધસિંહ જાડેજા પ્રકૃતિ પ્રેમી હોય તેમના પરિવાર દ્વારા ત્રણ હજાર રોપાનું વિતરણ કરી સદગતના બેસણામાં પ્રકૃતિના જતનની પ્રેરણાદાયક શરૂઆત કરી સદગતના આત્‍માને શ્રધ્‍ધાંજલી આપેલ હતી.

(1:39 pm IST)