Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડા ખાતે દીપાવલી નિમિત્તે 11000 દીપક પ્રગટાવી મંદિર મા દિવ્ય દર્શન થયાં

ધોરાજી:ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રી મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ ના સાનિધ્યમાં દિપાવલી મહોત્સવ ઉજવાયો હતો
જેમાં શ્રી બટેશ્વર મહાદેવ તેમજ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર તથા .શ્રીકાલભૈરવ મંદિર ના પરિસરમાં 11000 દીપક પ્રગટાવી દિપાવલી મહોત્સવ ઉજવાયો હતો
શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ જણાવેલ છે હાલમાં કોરોના મહામારી ના સમયમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ જાહેરમાં કોઇ વ્યક્તિને આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું અને માત્ર આશ્રમમાં 11 સેવકો દ્વારા છે મહાઆરતી સાથે ૧૧૦૦૦ દિપક પ્રગટાવવામાં આવ્યા હતા

(10:05 pm IST)