Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોડીનાર મુસ્લીમ બાળા ઉપર દુષ્કર્મ પ્રકરણમાં ગુજરાત મુસ્લીમ ફકીર દીવાન સમાજ દ્વારા આવેદન

રાજકીય આગેવાન તેમજ અન્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: કોડીનાર માં ૧૪ વર્ષની સગીરા ઉપર બળાત્કાર કરનાર રાજકીય અગ્રણી એ વારંવાર બળાત્કાર કરેલ હતો અને તેની સાથે અનેકની સંડોવણી હોય ખુબજ રાજકીય પીઠ ધરાવતા અગ્રણી બચાવવા અનેક આગેવાનોએ સરકાર સુધી રજુવાતો કરેલ હોય તેવો છડેચોક આક્ષેપ થઈ રહેલ છે.

ઓલ ઈન્ડીયા મુસ્લીમ ફકીર દીવાન સમાજ દ્રારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર આપેલ કે ફકીર સમાજની સગીરવયની માસુમ બાળા પ્રવિણભાઈ ઝાલાએ માસુમ બાળાને બેરહેમી પુર્વક વીખી નાખી બળાત્કાર ગુજારેલ છે તેની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશન માં નોધાયેલ છે અન્ય રાજકીય આગેવાનો પણ આમા સંડોવાયેલ છે જેથી આ પ્રકરણ ભીનુ સંકેલી લેવા માટે ગીર સોમનાથ જીલ્લાના અનેક આગેવાનો દ્રારા પ્રયત્નો થઈ રહેલ છે ભોગ બનનાર તથા તેના દાદીમાં જે ફરીયાદી છે તેને કોડીનાર તાલુકાના અમુક સરપંચો,આરટીઆઈ એકટીવીસ્ટો ડરાવે છે, નાણાકીય લાલચ આપે છે જેથી અતિપછાત ફકીર જાત ન હોય જેથી તેને પુરૂ રક્ષણ આપવની માંગણી કરાયેલ છેબળાત્કારકરનાર મોટી રાજકીય વગ ધરાવતા પૈસા પાત્ર લોકો હોય તેથી ધાકપીછોડો થઈ જશે જેના કારણે રાજય સરકાર ને કાળીટીલી લાગશે આ બનાવમાં કોઈને પણ ન છોડવામાં આવે તેવી માંગ કરાયેલ છે.

(12:55 pm IST)