Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મુળીના સરા ગામે એક જ પરિવારના ત્રણ વ્યકિતને કોરોના

વઢવાણ તા. ૧૪ : મૂળીના સરા ગામે મોરબી દરવાજા બહાર રહેતા ચમનભાઈ છગનભાઈ મકવાણાને તાવ શરદી થતા તા. ૯ સપ્ટેના રોજ સરકારી દવાખાને ગયેલ ત્યાં તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવેલ હતો. તેમની તબિયત લથડતાં સરા ૧૦૮ના પાયલોટ ઉપેન્દ્રસિંહ અને ઇએમટી વનરાજભાઈ તુરંત સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી દવાખાને ખસેડેલ હતો.

તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ તેમનું મૃત્યુ થતાં પરિવારનો મોભી છિનવાયો હતો સરા ગામે કોરોનાથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા ગામમાં ભય અને શોકની લાગણી જન્મી હતી, તેમના પરિવારમાં પુત્ર વિપુલ મકાવાણા અને પુત્રવધૂ વિશાખાબેનનો પણ પોઝિટિવ રિપોર્ટ આવતા એક જ પરિવારમાં ત્રણ ત્રણ કોરોના કેસ નોંધાતા ગામમાં ફફડાટની લાગણી જન્મી હતી કોરોના એ માથું ઉચકતાં પ્રા. આરોગ્ય કેન્દ્ર ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરી હતી. ધન્વંતરિ રથ દ્વારા ગામમાં આયુર્વેદિક દવા અને ઉકાળાનું વિતરણ કરી ગ્રામજનોને કોરોના સામે ડરો નહિ સતર્ક રહો માસ્ક અને નાસ અને સંક્રમણથી બચવા માર્ગદર્શન અપાયું હતું.

(11:55 am IST)