Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કાલાવડમાં પ.પુ.શહેરાવાળા સાંઇજીની પધરામણી

કાલાવડ : સિંધી લોહાણા સમાજના ધર્મ ગુરૂ પ.પુ.શહેરાવાળા સાંઇજીની કાલાવડ ખાતે પધરામણી થઇ હતી. સિંધી લોહાણા સમાજ આયોજીત કાર્યક્રમમાં પ.પુ. શહેરાવાળા સાંઇજીનું શહેર ભાજપ દ્વારા શાલ અને પુષ્પહારથી સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હસુભાઇ વોરા, ન.પા. પ્રમુખ અજમલભાઇ ગઢવી, મહામંત્રી મહેશભાઇ સાવલીયા તથા વિનુભાઇ રાખોલીયા, ભાજપ અગ્રણી વલ્લભભાઇ વાગડીયા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, અશ્વિનભાઇ ઝીંઝુવાડીયા, સંજયભાઇ દોંગા, મુકેશભાઇ દાણીધારીયા ઉપસ્થિત રહ્યા હતા. પ.પુ.શહેરાવાળા સાંઇજીની પધરામણી થઇ તે તસ્વીર.

(11:43 am IST)