Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

૧૬ નવા દર્દીઃ ૧ર ડીસ્ચાર્જ : દ્વારકા જિલ્લામાં કોરોના

ખંભાળીયા, તા., ૧૨: દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના સંદર્ભે શનિ-રવીમાં ૧૬ નવા દર્દીઓ નોંધાયા હતા તથા ૧ર ડીસ્ચાર્જ થયા હતા.

શનિવારના રોજ ભાણવડમાં એક, દ્વારકામાં ચાર, કલ્યાણપુરમાં ૧ તથા ખંભાળીયામાં ત્રણ મળીને કુલ નવ દર્દી પોઝીટીવ આવેલા હતા ચાર ભાણવડ તથા બે દ્વારકાના મળીને છ દર્દી ડિસ્ચાર્જ થયા હતા. રવીવારના રોજ પણ સાત દર્દી પોઝીટીવ નોંધાયા હતા જેમાં દ્વારકા-૧, કલ્યાણપુર-બે ખંભાળીયામાં ચાર મળીને કુલ સાથ પોઝીટીવ આવ્યા હતા તથા ખંભાળીયાના છ ડીસ્ચાર્જ થયા હતા.

હાલ કુલ ૬૯ એકટીવ કેસ છે તથા પ૧ મૃત્યુ થયા છે.

નવા ૧૬ કેસોમાં વાડી જીલ્લા ગાગા તા.કલ્યાણપુર, દલવાડી હોટલ પાસે ખંભાળીયા, વાડી વિભાગ કેનેડી, પઠાણ પાસે ખંભાળીયા દેવભુવન રોડ દ્વારકા, અવેડાવાડી સ્કુલ પાછળ કણઝાર પાસે ખ઼ભાળીયા, રામનગર, રવિનગર, ઓખા, ખ઼ભાળીયા શહેર, રામનાથ સોસાયટી ખંભાળીયા આહીર સિંહણ ખંભાળીયા, રેતવા શેરી દ્વારકા, વાડી વિમરશી, ભાણવડ, જુવાપુર ગામ કલ્યાણપુરનો સમાવેશ થાય છે.

ચૌદ નવા કંટેટમેન્ટ ઝોન

જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા ભરાણા ન્યારા એનર્જી પાસે ધરમપુર, ધોળવાવ, જુવાનપુર, અંબુજાનગર, દ્વારકા, ખંભાળીયા, જુની ખડપીઠ પાસે ખંભાળીયા સહીત ૧૪ નવા કંટેટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.

(12:58 pm IST)