Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

શિવરાત્રી મેળામાં ભરડાવાવથી વાહન બંધ કરાયા

સાંજે ૬થી સવારના ૬ પ્રતિબંધ : સ્થાનિક પ્રજાને સહકાર આપવા એસપી નિલેશ જાજડીયાની અપીલ

જુનાગઢ, તા. ૧ર : મહાશિવરાત્રી મેળામાં સતત ભાવિકો ઉમટી રહ્યા છે ત્યારે સતત લોકોનો ધસારો થતા તંત્રએ ભરડાવાવથી વાહન પ્રવેશ પ્રતિબંધ કરવાની ફરજ પડી.

એસપી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે સતત વધી રહેલ ભાવિકોનો પ્રવાહને લઇ લોકોને ધુ મુશ્કેલ ન પડે અને રજાના દિવસોમાં જૂનાગઢના સ્થાનિક લકોો અને મેળામાં આવીર હેલ ભાવિકોને તા. ૧૩ આવતીકાલ શિવરાત્રી સુધી સાંજે ૬ થી સવારના ૬ સુધી ભરડાવાવથી વાહન પ્રવેશ પ્રતિબંધ કરેલ છે અને લોકોન આજુબાજુના પાર્કીંગમાં વાહન પાર્ક કરવા શ્રી જાજડીયાએ અપીલ કરી છે.

(11:59 am IST)