Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાકિસ્તાન જેલમુકત ૭૪ માછીમારોનું વેરાવળમાં આગમનઃ ૭૩ માછીમારો કાલે આવશે

વેરાવળ તા. ૧૧ : વેરાવળ ફિશરીઝ ઓફિસના અધિકારીઓએ જણાવેલ હતું કે, જળસીમાનો ભંગ કરીને પકડાયેલા માછીમારોને પાકિસ્તાન સરકારે છોડેલ હતા. ૧૪૭ માછીમારોમાંથી ૭૪ કાલે રાત્રે ૧૧ કલાકે ગોલ્ડન ટેમ્પ ટ્રેનમાં વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાંથી બે બસ મારફત આજે ગુરૂવારે બપોરે ૧૨ થી ૨ની વચ્ચે ફિશરીઝ ઓફિસ વેરાવળ આવશે તે પહેલા કીડીવાવ પોલીસની બ્રાંચ દ્વારા તપાસણી થશે.

બાકીના ૭૩ માછીમારો આજ રોજ રાત્રે ગોલ્ડન ટેમ્પલમાં વડોદરા આવી પહોંચશે તે બે બસ મારફત તા. ૧૨ના શુક્રવારના રોજ ૧૨ થી ૨ની વચ્ચે આવશે તેમ અધિકારીઓએ જણાવેલ હતું. હજુ ૨૯૨ માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેમજ કરોડો રૂપિયાની ૪૫૦ બોટો પાકિસ્તાનના કબ્જામાં છે તેમ જાણવા મળેલ છે. માછીમારોના આવવાની તેમના પરિવાર કાગડોકે રાહ જોઇ રહેલ છે.

(11:25 am IST)