Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ખેડુતો એ વેચેલ માલના નાણાં સમયસર પરત આપવા વિસાવદર ધારાસભ્યની માંગ

વિસાવદર,તા.૧૧ : વિસાવદરના જાગૃત ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક  પત્ર પાઠવી તેમના મત વિસ્તારના ખેડુતોએ વેચેલ માલના નાણાં સમયસર મળવા માંગણી કરેલી છે. તેઓ એ જણાવેલ છે કે, ખેડુતોએ ચાર માસ કાળી મહેનત કરી ઉછીના પાછીના તેમજ લોકો તથા મંડળીઓ પાસેથી લોન સહાય લીધેલ હોય છે અને જયારે તેઓ સરકાર ને માર્કેટયાર્ડ તાલુકા સંઘ વિગેરેમાં પોતાના ખેતરમાં પકવેલ માલ વેચે છે ત્યારે લાંબા સમય સુધી વેચવામાં આવેલ માલના નાણા ખેડુતોને મળતા નથી તેથી તેમને પોતાનુ ગુજરાન ચલાવવા તેમજ વહેવારો કરવામાં છતા નાણાએ ખુબ જ મુશ્કેલીઓનો સમાનો કરવો પડતો હોય તેથી ખેડુતો વતી ધારાસભ્ય શ્રી રીબડીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી માર્કેટયાર્ડ તાલુકા સંઘો દ્વારા ખેડુતોને તાત્કાલીક નાણા ચુકવવામાં આવે તેવા જરૂરી આદેશો કરવા માંગણી કરેલી છે.

(11:16 am IST)