Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મીઠાપુરમાં વાલ્મીકી સમાજ દ્વારા સ્વ.નયનાબેન ચુડાસમાની સ્મૃતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ

 મીઠાપુરઃ દેવભુમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે વાલ્મીક સમાજ દ્વારા સ્વ. નયનાબેન નીતિનભાઇ ચુડાસમાની યાદમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જેમાં મીઠાપુર, જામનગર, પોરબંદર, અમદાવાદ, ભાવનગર, દ્વારકા સહિતની ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. તા.૬-૧-ર૦૧૮ના રોજ સવારે ૯ વાગ્યે આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય બાદ  મહેમાનો દ્વારા ક્રિકેટ રમીને મેચની શરૂઆત કરાઇ હતી. દિપ પ્રાગટય વખતે શ્રી ખેરાજભા કેર, અશોકભાઇ શ્રીમાળી, ડો.ભટનાગર, રીતેશ ગોકાણ, હરીશભાઇ શુકલા, દિવ્યેશ જટણીયા વગેરે જેવા આગેવાનો ઉપરાંત વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ફાઇનલમાં જામનગરની ડીસી ટીમ અને મીઠાપુરની બાપા સીતારામ ટીમ વચ્ચે મેચ રમાયો હતા.  જેમાં જામનગરની ડી.સી. ટીમ વિજેતા થઇ હતી. આ સમયે આમંત્રિત મહેમાનોમાં મીઠાપુર પીઆઇ શ્રી દેકીવાડીયા, પીએસઆઇ ચંદ્રકાલાબા જાડેજા, અશોકભાઇ શ્રીમાળી, ડો.અજીથ, સુરેન્દ્રસિંહ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. વિજેતા ટીમને રૂ.રપ૦૦૦ રોકડા તેમજ ટ્રોફી પીઆઇના હસ્તે તેમજ રનર અપ ટીમને રૂ.૧૧૦૦૦ રોકડા પીએસઆઇના હસ્તે આપવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટાણીયા-મીઠાપુર)

(9:25 am IST)