Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં જ્ઞાનેન્દ્રસિંહ મિશ્રાની હત્યા કરનાર એક શખ્સ સકંજામાં: પત્નિ સાથેના આડા સંબંધના કારણે મોતને ઘાટ ઉતારી દીધાની શંકા

રાજકોટ, તા. ૧૦ :. મોરબીના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટલ નજીક રેડીયન્ટ એનર્જી નામના કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક જ્ઞાનેન્દ્રસિંહ મિશ્રાની હત્યા કરનાર એક શખ્સને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યુ છે.

મૃતક જ્ઞાનેન્દ્રસિંહ મિશ્રાને આરોપીની પત્નિ સાથે આડા સંબંધ હોવાની શંકાએ આ હત્યા થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. આ બનાવ અંગે બી-ડિવીઝન પીઆઈ વિરલ પટેલ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)