Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને વાનગીઓનો અન્નકૂટ

 વાંકાનેર : બોટાદ જિલ્લાના જગવિખ્યાત એવા સૌનું આસ્થાનું પ્રતીક સાળગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને અમુલ કર્મચારી પરિવાર તરફથી આજે દાદાને અમુલની વાનગીઓનો અન્નકોટ દર્શન સવારે ૧૧.૧૫ થી ૧ સુધી રાખેલ છે તેમજ અન્નકોટ આરતી સવારે ૧૧.૧૫ કલાકે પૂજય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ પૂજારી સ્વામી શ્રી ડી.કે. સ્વામીજી એ કરેલ હતી. આ પ્રંસગે અમુલ પરિવાર ના કર્મચારીઓ હાજર રહી અન્નકોટ દર્શન આરતી નો લાભ લીધેલ હતો તેમજ રૂબરૂ તેમજ ઓનલાઇન દ્વારા ભાવિક, ભકતજનોએ દર્શનનો લાભ લીધેલ હતો, Only On >You Tube SALGPUR HANUMANJI ઉપર કાયમ માટે બને ટાઈમ ની આરતી, લાઈવ દર્શન આવે જ છે જે યાદી સ્વામીશ્રી ડી.કે. સ્વામીજીએ જણાવેલ છે.

(3:23 pm IST)