Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ધોરાજી પાસે અકસ્માતે પશુ તબીબનું કરૂણ મોત

ધોરાજી તા. ૯: જામકંડોરણા રોડ છેલ્લા થોડા દિવસથી અકસ્માતનો રોડ થઇ ગયો છે પહેલા ૩ના મોત થયા બાદમાં કાર સળગી ફરી પશુ ડોકટરનું મોત થયા પછી કાર સળગી એમ યમરાજાએ ધામા નાખીયા હોય તેમ લાગે છે.

ધોરાજી નજીક આવેલ ઇશ્વરીયા ગામના ખેડુત પુત્ર અને પશુ ડોકટર તરીકે સેવાઓ આપતા કેતનભાઇ બાભરોલીયા પોતાનું બાઇક લઇને કંડોરણા જતા પુના મામાના મંદિરથી આગળ કાર ચાલકે જોરદાર ઠોકર મારતા બાઇક ચાલક તેતન બાભરોલીયાને ગંભીર ઇજા થતા ૧૦રના પાયલોટ ભાવેશ રાઠોડ EMT સુફીયાનવરામ ઘાયલોને લઇ જામકંડોરણા હોસ્પિટલે લઇ ગયેલ અને સારવાર દરમ્યાન સેવાભાવી પશુ ડોકટર કેતનભાઇ બાભરોલીયાનું કરૂણ મોત થયેલ.

આ ઘટનાની જાણ થતા RDC બેકના યુવા ડિરેકટર લલીતભાઇ રાદડીયા અને તાલુકા પંચાયતના સેવાભાવી પ્રમુખ હિરેનભાઇ બાલધા હોસ્પિટલ ખાતે દોડી આવી પરીવારજનોને સોનીવંતના પાઠવેલ મરણ જનારને ૧ પુત્ર હોવાનું જાણવા મળેલ છે. અને પોતે ર ભાઇઓ હતા પોતે નાના હતા તેના માતા પિતા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે આ બનાવ અંગે જામકંડોરણાના પીએસઆઇ તપાસ ચલાવી રહેલ છે. 

(12:18 pm IST)