Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સદગુરુદેવ પૂ.પારસમુનિ મ.સા. તથા પૂ.ચેતનમુનિ મ.સા.નો કાલાવડ શીતલા ખાતે ચાતુર્માસ પ્રવેશઃ ભવ્‍ય સ્‍વાગત યાત્રા

ગોંડલ,તા. ૯ : ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરુદેવશ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્‍ય સદગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં ધ્‍યાન સાધક પૂ.ગુરુદેવ શ્રી હસમુખમુનિ મ.સાનાં સુશિષ્‍ય ધ્‍યાનાભિલાષી, સરલ સ્‍વભાવી, પૂ.શ્રી ચેતનમુનિ મ.સા. આદિઠાણા-૨ કાલે તા. ૯નાં ખીરસરા પ્રકૃતિ ઉપવન પિયુષભાઇ મહેતાને ત્‍યાંથી વિહાર કરી આજે સવારે ૭:૩૦ કલાકે કાલાવડ શીતલા કૈલાશભાઇ હંસાબેન હસમુખભાઇ પટેલ, વિપુલભાઇ એચ.પટેલના નિવાસસ્‍થાને પધારેલ.ત્‍યાંથી શ્રી કાલાવડ વણિક જૈન સંઘ સકલ સંઘ દ્વારા સ્‍વાગત યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ૮ કલાકે ત્‍યાંથી ચાતુર્માસનિમિતે ગાંગજીવીરદિવ્‍ય સાધનાલયમાં ચાાતુર્માસ અર્થે પ્રવેશ કરેલ.
બહોળી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાએ ચાતુર્માસ પ્રવેશમાં ઉપસ્‍થિત રહી દર્શન-વંદન અને ભગવદવાણીનો લાભ લીધો હતો. ગુરુદેવોનાં પ્રવેશ બાદ નવકારશીની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ.

 

(12:13 pm IST)