Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મુસ્‍લીમ સમાજના મહાન પેગમ્‍બર સાહેબની સાનમાં ગુસ્‍તાખી ટિપ્‍પણી કરનાર નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે માંગણી કરી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૯: મુસ્‍લીમ સમાજના મહાન પેગમ્‍બર નબી સાહેબની સાનમાં ટિપ્‍પણી કરનાર ભાજપના પ્રવક્‍તા નૂપુર શર્મા સામે કાર્યવાહી કરવા રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે માંગણી કરી છે.આ અંગે અલ્લાઉદીન ફોગે એક યાદીમાં જણાવેલકે ન્‍યૂઝ સમાચાર પત્રમાં જોયા પ્રમાણે તા.૨૭ મેં ૨૦૨૨ના રોજ એક ટીવી ચેનલની દિબેટમાં નૂપુર શર્મા એ અમારા મુસ્‍લીમ સમાજના નબી સાહેબની શાનમાં ગુસ્‍તાખી અને ટીકા ટિપ્‍પણી કરેલ છે જેને હું સખત શબ્‍દોમાં વખોડું છુ અને ભારતીય સંસ્‍કૃતિ પ્રમાણે દેશના બધા ધર્મોનું સન્‍માન કરવું જોઈએ  તેવું મારુ માનવું છે.

અમુક લોકોના આવા નિવેદનોથી મુસ્‍લીમ સમાજની લાગણી દુભાય છે.

વધુમાં જણાવેલકે નૂપુર શર્માના આ નિવેદનથી નેશનલ ભાજપે પણ ગંભીર નોંધ લઇ ભારતીય જનતા પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી અરુણ શીંઘ સાહેબ દ્વારા તેમની સામે તાત્‍કાલિક પગલાં ભરી તેમને પક્ષ માંથી સસ્‍પેન્‍ડ કર્યાછે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્‍યક્‍ત કરું છું. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્‍નો થી દેશ એક ઉંચાઈ પર આગળ વધી રહેલ છે અને વિકાસની ગતી તેજ ગતિયે છે તેમનું સૂત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે તેઓ કામ કરી રહીંયાં છે. ત્‍યારે અમુક લોકો પોતાની -સિદ્ધિ માટે પોતાને હાઇલાઇટ કરવા નો શોભે તેવા ધાર્મિક નિવેદનો આપી રહયાં છે તે તદ્દન ગેરવ્‍યાજબી છે.માટે આ નિવેદન આપનાર નૂપુર શર્મા સામેં કાર્યવાહી થાય તેવી મારી માગણી રજુઆત છે.

(11:36 am IST)