Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પત્‍નીનાં વિરહમાં કેશોદનાં વૃધ્‍ધે મોતની સોડ તાણી

ઝેરી ટીકડા ખાઇ જઇને આપઘાત કર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૯ : પત્‍નીના વિરહમાં કેશોદના એક વૃધ્‍ધે મોતની સોડ તાણી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. કેશોદના ઇન્‍દીરાનગર વિસ્‍તારમાં રહેતા ૭૦ વર્ષીય લાલજીભાઇ સાજણભાઇ કટારાના પત્‍ની મૃત્‍યુ પામ્‍યા હોય ત્‍યારથી તેમને ગમતુ ન હોય. ગત તા. ૬ના રોજ લાલજીભાઇએ પત્‍નીની યાદમાં જીંદગીથી કંટાળી જઇ ઝેરી ટીકડા ખાઇ લેતા તેનું જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નિપજ્‍યુ હતું.

(11:31 am IST)