Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મીઠાપુરઃ વિર શહિદ ક્રાંતિકાર મુરૂભા માણેકની પુણ્‍યતિથિએ મહારેલી

 વીર શહિદ ક્રાંતિકારી મુરૂભા માણેકની ૧પ૪ મી પુણ્‍યતિથી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્‍ત ક્ષત્રીય વાઘેર સમાજ દ્વારા ઓખામંડળમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્‍યું. સમાજના પ્રમુખ પબુભા માણેક અને જ્ઞાતિના યુવા અગ્રણી સહદેવસિંહ માણેકની આગેવાનીમાં હજારોની સંખ્‍યામાં બાઇક અને સેકડો મોટરકાર દ્વારા યુવાનો આ રેલીમાં પોતાના પારંપરિક પહેરવેશ પહેરીને હોંશભેર ભાગ લીધો હતો. મીઠાપુરથી દ્વારકા સુધીની આ મહારેલી આશાપુરા માઁના મંદિરે મીઠાપુરથી મંદિર ધ્‍વજારોહણ બાદ શરૂ થઇ ને દ્વારકા પહોંચી હતી. રસ્‍તામાં વિવિધ સંસ્‍થાઓ અને સમાજો દ્વારા પ્રમુખ પબુભાનું સન્‍માન થયું હતું અને સરબત ઠંડાપીણા વગેરેની સેવા કરાઇ હતી. જય રણછોડનાં નારા સાથે હજારો યુવાનો દ્વારકા પોતાના વાહનો પાર્ક કર્યા બાદ દ્વારકાધીશની ધ્‍વજા ચડાવવા પગપાળ જગતમંદિરે પહોંચ્‍યા હતા અને મંદિરે નૂતન ધજા ચડાવેલ. માઁ ભોમ અને જગત મંદિરનાં રક્ષણ માટે વિરગતીને પામેલ એવા મુરૂભા માણેકને શ્રદ્ધાંજલી અર્પવા આ કાર્યક્રમ છેલ્લા ર૦ વર્ષથી થાય છે. (તસ્‍વીરઃ અહેવાલ, દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(11:54 am IST)