Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જુનાગઢમાં ભાજપનો સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો

જુનાગઢ, તા. ૯ : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જુનાગઢ જીલ્લાના તમામ ભાજપ પ્રેરીત સરપંચો સાથે સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયેલ.

વિશેષમાં હાલમાં જે પેઇજ સમિતિ અભિયાન ચાલી રહ્યું છે તે તમામ મતદાર યાદીના તમામ પેઇજની સમિતિ બને તે જુનાગઢ જીલ્લાના તમામ કાર્યકર્તા મિત્રોને અનુરોધ કરેલ જેથી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને વધુને વધુ ગતિ મળે અને સરકારશ્રીની યોજનાઓનો વધુને વધુ લાભ મળે.

આ કાર્યક્રમમાં જુનાગઢ સંગઠન પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ રમેશભાઇ રૂપાપરા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જુનાગઢ મહાનગર ભાજપ અધ્યક્ષ પુનિતભાઇ શર્મા, જુનાગઢ મનપા મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્યશ્રી દેવાભાઇ મામલ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ દેવાણંદભાઇ સોલંકી, કનુભાઇ ભાલાળા, એલ.ટી. રાજાણી, ભગવાનજીભાઇ કરગઠીયા, અરવિંદભાઇ લાડાણી, માધાભાઇ બોરીચા તેમજ ફીશરીઝ ચેરમેન વેલજીભાઇ મસાણી, જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડિરેકટર દિનેશભાઇ ખટારીયા તેમજ જુનાગઢ જીલ્લા સહામંત્રી હિરેનભાઇ સોલંકી, વીડી. કરડાણી તેમજ જુનાગઢ જીલ્લાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જીલ્લા મહામંત્રી હિરેનભાઇ સોલંકી દ્વારા આભારવિધિ પ્રવચન કરવામાં આવેલ તેમ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ભરતભાઇ ચારીયાની અખબારી યાદી જણાવે છે.

(1:16 pm IST)