Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમરેલી જીલ્લામાં કોરોનાના ૨૬ કેસ

અમરેલી,તા.૮ : રવિ સોમ મંગળમાં ૧ ર દર્દીઓના મૃત્યુ બાદ બુધવારે એકપણ મૃત્યુ ન થતા રાહત છવાઈ છે અને બુધવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં ર ૨ કેસ નોંધાયા છે જેમાં ૯ કેસ અમરેલી શહેરનાં છે આ ઉપરાંત અમરેલીના હનુમાનપરામાં ૩૯ વર્ષના પુરૂષ દર્દીનું મૃત્યું કોવિડથી થયાની સતાવાર જાહેરાત સાથે મૃત્યુઆંક ૩૩ થયો છે.

અમરેલી શહેરમાં બિનાકાચોક, લાઠી રોડ, યમુનાપાર્ક, ગણેશ સોસાયટી, ગજેરાપરા,બટારવાડી, કામનાથ નગર, વૃંદાવનપાર્ક અન ેસુખનાથપરામાં મળી ૯  કેસ નોંધાયા હતા અમરેલીના વડેરા ગામે ર કેસ તથા સાવરકુંડલાના શેલણા, રાજુલાના ખાખબાઇ, લાઠીના કેરાળા, કલાપીપાર્ક અને પાડરશિંગા, ધારીના ભાડેર, નબાપરા, મોટી કુંકાવાવ, બગસરાના જુના વાઘણીયા, બાબરાના મોટા દેવળીયા, બાબરા, રાજુલાના વિકટરમાં ર કેસ અને સાવરકુંડલામાં ૧ કેસ નોંધાયો હતો જિલ્યામાં બુધવારે ર૩ દર્દીઓ સાજા થયા હતા અને કોરોનાના કુલ કેસની સંખ્યા ૨ર ૬૧ થઇ છે.

(12:45 pm IST)