Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરેન્દ્રનગર નગર પાલીકાના નિરીક્ષક તરીકે મહેશ રાજપૂતની નિમણુંક

રાજકોટ તા. ૮: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડાની સુચનાથી રાજકોટ શહેર કોંગી અગ્રણી શ્રી મહેશ રાજપુતની સુરેન્દ્રનગર નગરપાલીકાના નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી છે.

છેલ્લાં ઘણાં સમયથી રાજયના પ્રજાજનો કોરોના મહામારીના વિકટ સમયમાં ભાજપની રાજય સરકારના અણધડ વહીવટથી ત્રસ્ત છે. આ સંજોગો પ્રજાને રાજય સરકારની સદંતર નિષ્ફળતાઓ પરત્વે જાગૃત કરીને સંગઠનને વધુ મજબૂત બનાવવા. આગામી સમયમાં શહેર-તાલુકા સંવાદ કાર્યક્રમ ડીજીટલ મેમ્બરશીપ ડ્રાઇવ તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ માટે નગરપાલિકા વોર્ડ દીઠ પૂર્વ તૈયારીઓ કરવા અને સફળતાપૂર્વક પરિણામલક્ષી કામગીરી માટે જિલ્લાની આવનારી નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર-(દૂધરેજ-વઢવાણ) ધ્રાંગધ્રા બી, લીંબડી સીમાં નિરીક્ષક તરીકે શ્રી મહેશ રાજપુત (પૂર્વ કા. પ્રમુખ રાજકોટ શહેર) મો. ૯૮ર૪૪ ૦૮૦૦૪ ની નિમણુંક કરવામાં આવી છે. મહેશભાઇને કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવાઇ રહ્યા છે.

(11:49 am IST)