Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વિરમગામના નરસિંહપુરા ગામે પતિ દ્વારા પત્નીની ગળે ફાંસો આપી હત્યા

અન્ય શખ્સ સાથે સંબંધના મામલે વારંવાર ઝઘડા થતા હતા : પત્નીના પિયર પક્ષને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યુ શંક પડતા પુત્રીની માતાએ શારીરીક તપાસ કરતા ફાંસો આપ્યાના નિશાનો જોતા હકીકત જાહેર થઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૮: વિરમગામ તાલુકાના નરસિંહપુરા ગામે રવિવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝદ્યડાનો કરુણ અંજામ ઉશ્કેરાટમાં પતિ દ્વારા પત્નીને ગળે ફાંસો આપી મોત નિપજાવ્યું મરણ જનાર મહિલાના પિતા શનુભાઇ શાંતીલાલ વસાવા રહે.જુના રાજુવાડીયા તા.નાંદોદ(રાજપીપળા) જી.નર્મદા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસાર શકમંદ તોહમતદારોના નામ મહિલાના પતિ અશોક બાબુલાલ પ્રજાપતિ, સાસુ ફૂલવંતી બાબુલાલ પ્રજાપતિ,સસરા બાબુભાઈ સોમાભાઇ પ્રજાપતિ તમામ રહે.નરશીપુરા દ્વારા ફરીયાદીની દિકરી જયશ્રીબેન ઉ.વ.૨૫ ને ગળે ટૂંપો દઇ મારી નાખી ગુનો કરવામાં એક બીજાએ મદદગારી કરવા બાબતની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

મરણ જનારે ૪ વર્ષ અગાઉ પરિવારની મરજી વિરૂધ્ધ નરશીપુરા ગામે રહેતા અશોકભાઇ બાબુલાલ પ્રજાપતિ સાથે દ્યરેથી ભાગી ગયેલ અને તે પછી આ મારી દિકરી જયશ્રીબેન તેની સાસરી નરશીપુરા ગામે તેની સાસરીમાં રહેતી હતી અને જયશ્રીને સંતાનમાં એક દિકરી તનવી ઉ.વ.૩ ની છે અને અશોકભાઇ બાબુલાલ પ્રજાપતિ સાથે ભાગી ગયા પછી છેલ્લા બે વર્ષથી  ઘરે આવતા જતા હતાઙ્ગ છેલ્લા ત્રણ મહીનાથી જયશ્રી તથા તેના પતિ અશોક વચ્ચે અણબનાવ હતો અને ગઇ તા.૩/૧૦/૨૦૨૦ ના રોજજયશ્રી એ રડતા રડતા જણાવેલ હતુ કે મમ્મી તુ મારી દીકરાને તમારી પાસે લઇ જજે અને ભણાવજો અને સાચવજો અને ફોન બંધ થઇ ગયેલ ત્યાર બાદ તા.૪/૧૦/૨૦૨૦ ના રોજ દિકરી જયશ્રીનો દિવસના સાડા ત્રણ વાગે ફોન આવ્યો અને વાત કરેલ પત્નીએ વાત કરેલ ત્યારે જણાવેલ કે તમારી પાસે લઇ જજો અને સાચવજો અને ભણાવજો તેવી વાત કરેલ

ત્યાર બાદ રાત્રીના ૧૨/૩૭ વાગે મૃત્યુ અંગેના સમાચાર મળેલ  પતિ અશોકને ફોન કરી પુછેલ કે જયશ્રીને શુ થયેલ છે તો જમાઇએ જણાવેલ કે જયશ્રીને હાર્ટ એટેક આવેલ છે જેથી કહેલ કે તમે દવાખાને લઇ ગયા છો તો ના પાડેલી ત્યારબાદ સગા સંબંધીઓ ભેગા મળી વાહન કરી નરશીપુરા આવવા નિકળેલા તા.૫/૧૦/૨૦૨૦ બપોરના પોણા બે વાગ્યાના સુમારે સાસરીમાં પહોચેલા ત્યારે પતિ અશોક તથા તેના મમ્મી પપ્પાએ અડવા દીધેલ નહી તેથી વહેમ જતા પત્ની સુમીત્રાબેને ઘરમાં જઇ જયશ્રીનું મોઢું જોયું તો તેના ગળાના ભાગે દોરીથી ગળે ટુંપો દઇ મારી નાખેલાના નિશાન હતા અને અશોકના મા બાપ તથા અશોક જાતે મળીને મારીગળે ટુંપો દઈને મારી નાખેલ છે અને મોત બાબતે તેના સાસુ ફુલવંતીબેને પૂછતાં જણાવેલ કે જયશ્રી મારા ખોળામાં અહીંયા જ મરી ગયેલ છે તો પછી અશોકના પુછતા અશોકે જણાવેલ કે બીજા ઘરે અમો રાત્રે કાયમ સુતા હતા તે ઘરે ગયેલા તો બારણું બંધ હતું જેથી હુ કોટ કુદીને અંદર ગયેલ ત્યારે જયશ્રી તેમના ઘરમાં ખાટલા ઉપરથી નીચે પડેલી હતી તેવું જણાવેલ તે પછી ઘરમાં જઇ જોતા ખાટલો ભાંગેલી હાલતમાં હતો અને લાઇટનુ બોર્ડ તૂટીને નીચે પડેલ અને તેની સાસુને પુછેલ કે જયશ્રીએ કયા કપડા પહેરેલ હતા જેથી તેની સાસુએ અને તેના કપડા બતાવો જેમાં ચણીયો તથા સાડી તથા બ્લાઉઝ ફાટેલી હાલતમાં હતા જેથી લાગે કે ઝપાઝપીમાં કપડા ફાટેલા છે જેથી ૧૦૦ ડાયલ ટેલીફોન વર્ધી ઉપર કંટ્રોલ રૂમમાં જાણ કરેલી અને તે પછી થોડી વારમાં પોલીસ ત્યાં આવેલ અને જયશ્રી લાશને વિરમગામ ખાતે લઇ આવેલ જેથી જયશ્રી તેના પતિ અશોકભાઇ બાબુલાલ પ્રજાપતિ તથા તેના સાસુ ફુલવંતીબેન બાબુલાલ પ્રજાપતિ તથા સસરા બાબુલાલ સોમાભાઇ પ્રજાપતિએ જયશ્રીને દોરીથી ગળે ટૂંપો દઈ મારી નાખેલ છે જેથી તેમના વિરૂધ્ધ કાયદેસર તપાસ થવા ફરીયાદ છે રૂરલ પોલીસ દ્વારા કલમઇ.પી.કો કલમ ૩૦૨, ૧૧૪ મુજબ ગુનો નોંધી મરણ જનારના પતિ શકમંદ આરોપી અશોક બાબુલાલ પ્રજાપતિની અટકાયત કરી પી.એસ.આઇ એમ એચ ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:18 am IST)