Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાણાવાવના રામગઢ ગામમાં અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદ:રસ્તામાં પાણી ફરી વળ્યા

વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા : મગફળીના તૈયાર પાકને નુકશાન

અમદાવાદઃ ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે  મેઘરાજા ધરતીપુત્રોની ચિંતા વધારી રહ્યા છે. અચાનક વરસી પડતાં વરસાદના કારણે ખેડૂતોને પાક બચાવવાનો પણ મોકો નથી મળતો. આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રામગઢ ગામે અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદથી રસ્તામાં પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે મગફળીના તૈયાર પાકને નુકશાન થયું છે.

(8:28 pm IST)