Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગઢડા (સ્વામીના)માં ત્રિવેણી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી મંદિર પ્રથમ સ્થંભ સ્થાપન-ભાવપુજન-શાકોત્સવ

ગઢડા સ્વામીના તા.૮ : ત્રિવેણી મહામહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી મંદિર પ્રથમ સ્થંભ સ્થાપન વર્તમાન પાંચસો પરમ હંસોનું ભાવ પુજન અને દિવ્ય શાકોત્સવ તા.૧૦ને શનિવારે સવારે ૮ થી બપોરના ૧ર વાગ્યા સુધી શાસ્ત્રી સ્વામી ભકિતપ્રિયદાસજી તથા સહયોગી સંતો અને મુખ્ય યજમાન રાજુભાઇ એ. ભોજાણીની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી ફાર્મ, ગઢડા-બોટાદ રોડ ખાતે યોજાશે.

જે અંતર્ગત સવારે ૭-૩૦ થી ૮ અલ્પાહાર, ૯ વાગ્યે મહોત્સવનું ઉદ્દઘાટન, દિપ પ્રાગટય, સ્વાગત અને મંગલ પ્રવચન બપોરે ૧૧ વાગ્યે સંતોના આર્શીવચન અને યજમાન પરિવારનું સન્માન બપોરે ૧૧-૩૦ વાગ્યે પૂ.મહારાજશ્રીના આર્શીવાદ અને શાકોત્સવ-મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

વડતાલ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજીના હસ્તે પ્રથમ સ્થંભ પુજન કરવામાં આવશે. આ તકે અન્ય સંતો ખાસ ઉપસ્થિત રહેશે.

ભાવિકોને લાભ લેવા સંતો અને મુખ્ય યજમાન ભોજાણી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

(11:40 am IST)