Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભાવનગરમાં ૨ સંતાનોને એસીડ પીવડાવીને માતાએ પણ પીધુઃ ગંભીર

સંયુકત કુટુંબમાંથી અલગ રહેવા બાળકો મોટા થઇ જાય પછી જઇશુ તેમ પતિએ કહેતા લાગી આવતા પગલુ ભર્યુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: ભાવનગરમાં માતાએ તેના બે માસુમ સંતાનો સાથે એસીડ પી લેતા ત્રણેયને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં સિહોર તાલુકાનાં નેસડા ગામે રહેતી હિરાબેન ગોવિંદભાઇ કુવાડીયા નામની મહિલાએ તેના બે માસુમ સંતાનો તન્વી ઉ.વ.૪ અને ત્રિલોક ઉ.વ.૨ને એસીડ પીવરાવી પોતે પણ એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે ભાવનગરમાં ડો.કાનાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેઓની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે. હિરાબેનનાં લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. પતિ ભાવનગરમાં હિરાનાં કારખાનામાં કામ કરે છે. હિરાબેનને સંયુકત કુટુંબમાંથી અલગ રહેવા જવુ હતુ પરંતુ પતિ બે બાળકો મોટા થાય પછી જુદા થશું તેમ કહેતાં લાગી આવતાં આ પગલુ ભર્યુ હોવાનું હિરાબેનનાં પતિઍ પોલીસ નિવેદનમાં જણાવ્યુ હતું.(૨૩.૨)

(10:03 am IST)