-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે બીલીપત્રનો શણગાર કરાશે
(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા. ૬ : બોટાદ જિલ્લાના જગવિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજિત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાદાના બીલી પત્રના શણગાર દર્શન રાખેલ છે. દાદાની નિજ મંદિરમાં આખા સિંહાસનને બીલીપત્રના શણગારથી સુશોભીત કરવામાં આવશે. શણગાર - આરતી સવારે ૫.૪૫ કલાકે રાખેલ છે.
આ ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન દાદાને વિવિધ શણગાર દર્શન, અન્નકોટ દર્શન, વગેરેનું આયોજન કરેલ છે. ઘર બેઠા ઓનલાઇન વિવિધ ઉત્સવો, દર્શન અને આરતી ONLY ON > YOU TUBE SALANGPUR HANUMANJI નિહાળી શકાશે. તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરના પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામિશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, તેમજ સ્વામીશ્રી ડી. કે. સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.