Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ચોટીલામાં સંગીતા બારૈયાનો આપઘાતઃ છોકરો હેરાન કરતો હોવાનો આક્ષેપ

કોળી પરિવારની દિકરીએ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૬: ચોટીલામાં કલ્‍પના ટોકિઝ પાસે રહેતી સંગીતા કાંતિભાઇ બારૈયા (ઉ.૨૨) નામની કોળી યુવતિએ ગઇકાલે બપોરે ઘર નજીક યુ.એન. ટાઉનશીપ પાસે એસિડ પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા જાણ કરી હતી.
આપઘાત કરનાર સંગીતા બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. તેના પિતા હયાત નથી. પરિવારજનોએ જણાવ્‍યું હતું કે સંગીતાને નીલીયો નામનો છોકરો હેરાન કરતો હતો. અગાઉ છએક મહિના પહેલા પણ સંગીતાનાભાઇ ગોૈતમભાઇએ એ છોકરાના વાલીને જાણ કરતાં જે તે વખતે સમાધાન થયું હતું. હવે ફરીથે તે ફોન કરીને અને પાછળ જઇને હેરાન કરતો હોઇ કંટાળી જતાં તેણીએ આ પગલુ ભરી લીધું હતું. આક્ષેપો અંગે ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(2:59 pm IST)