Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

હળવદના શરણેશ્વર મંદિર નજીક આવેલ તળાવમાં પાણીમાં ડૂબી જતા પૌઢનું મોત

પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો :અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી

હળવદ : શહેરના શરણેશ્વર મંદિર નજીક આવેલ તળાવમાં પાણીમાં ડૂબી જતા ૫૦ વર્ષના પૌઢનું મોત થયું હોય જે બનાવ મામલે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના શરણેશ્વર મંદિર નાકે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) નામના પૌઢ કોઈ કારણોસર શરણેશ્વર તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી બનાવની વધુ તપાસ ચલાવી છે

(9:32 pm IST)