Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જેતપુર ફકીર જમાત અધિકાર મંચ દ્વારા એસ.સી,એસ.ટી વર્ગમાં સમાવેશ કરવા આવેદન પત્ર

જેતપુર, તા.૬ : ફકીર સમાજને હાલ અતિ પછાત જાતિમાં સમાવેશ કરવામાં આવેલ હોય છતા સરકારી સહાય અને લાભો મળતા ન હોય તેમજ એસ.સી/એસ.ટી. વર્ગમાં સમાવેેશ કરવાની માંગણી ઓનું આવેદન પત્ર આજરોજ મામલતદારશ્રીને પાઠવેલ હતુ.

જેતપુર ફકીર જમાત તેમજ ફકીર અધિકાર મંચના પ્રાંત હોદેદારો ઇરફાન શાહ સુદારવર્દી, રહીમશા સુદરાવહી, મુસ્તુફાબાપુ, અમીનમીયારફાઇ વિગેરેની આગેવાનીમાં બહોળી સંખ્યામાં ફકીર સમાજના લોકોએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે, મુસ્લીમ ધાર્મીક સ્થાનોમાં સેવા પુજા કરી પોતાનું ગુજરાનચલાવે છે. ફકીર સમાજને સરકાર દ્વારા હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભીક્ષાવૃતી સાથે સંકળાયેલ ફકીર સમાજને માનભેર જીવવા સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ સમાજને એસ.સી., એસ.ટી વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવે તેની માંગણીકરેલ અને એ માંગણી સંતોષવામાં નહી આવેતો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારેલ હતી.

(11:45 am IST)