Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સોમનાથ જીલ્લાના કોરોના વોરીયર્સને ૩૦૬૨ રાશનકિટ અર્પણ

 પ્રભાસપાટણ : કોરોના કાળમાં દ્યણી સંસ્થાઓ તરફથી જિલ્લાને સહયોગ મળ્યો છે. કોરોના સેવાયજ્ઞ અંતર્ગત રાજભવન તરફથી યુવા અનસ્ટોપેબલ સ્વૈચ્છીક સંસ્થાના સહયોગથી કોરોના વોરીયર્સને રાશનકીટ વિતરણનું અભિયાન રાજયપાલશ્રી આચાર્યદેવવ્રતજી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૩૦૬૨ રાશનકીટ ગીર-સોમનાથ જિલ્લાના કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવેલ. આશાવર્કસ, આશાફેસીલેટર, હોમગાર્ડ યુનિટ, જી.આર.ડી. યુનિટ વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના નગરપાલિકાના સફાઇ કામદારો તેમજ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત, સભાખંડ, ઇણાજ ખાતે રાશનકીટ અર્પણ કરાઇ હતી. જેમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, અધિક વિકાસ કમિશ્નર ડી.ડી.જાડેજા, અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહભાગી થયા હતા.

(12:04 pm IST)