Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વાંકાનેરના અકિલાના પત્રકાર સ્‍વ. નિલેશભાઇ ચંદારાણાના સ્‍મરણાર્થે આજે રાત્રે ધુન-કાલે પ્રસાદ

સદગુરૂદેવ શ્રી પૂજય હરીચરણદાસજી મહારાજના પરમ ભકત એવા : સ્‍વ.નિલેશભાઇ ચંદારાણા છેલ્લા સાડા ત્રણ દાયકાથી પ્રિન્‍ટ મીડીયા સાથે સંકળાયેલ હોવાથી લોકચાહના મેળવેલ હતી

વાંકાનેર, તા.,પઃ વાંકાનેર ખાતેના અકિલાના વરિષ્‍ઠ પત્રકાર સ્‍વ.નિલેશભાઇ ચંદારાણાનું ગત તા.૩૦-૩-૨૨ના રોજ દયરોગનો હુમલો આવતા ૫૬ વર્ષની વયે દુઃખદ અવસાન થતા સ્‍વ.નિલેશભાઇની વરસી નિમિતે આજે શ્રી ભગવાનજી ખુશાલચંદ રાજવીર લોહાણા મહાજનવાડી, દિવાનપરા વાંકાનેર ખાતે એક ભવ્‍ય રામધુન રાખવામાં આવી છે.

વાંકાનેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી નિઃશુકલ ધુન-ભજન-કિર્તન કરતા શ્રી શ્‍યામ ધુન મંડળના પંદરેક કલાકારો તથા સાજીંદાઓ દ્વારા રાત્રે ૯.૩૦ કલાકથી પ્રારંભ થશે. રામધુનની રમઝટ સાથે વાતાવરણને ધર્મમય બનાવશે તથા સ્‍વ.નિલેશભાઇ ચંદારાણાના આત્‍મ કલ્‍યાણ અર્થે સૌ સમુહ પ્રાર્થના કરશે.

આ કાર્યક્રમમાં વાંકાનેર-રાજકોટ-મોરબીના પત્રકાર મિત્રો, ધાર્મિક, સામાજીક, શૈક્ષણીક, રાજકીય તથા લોહાણા મહાજનના અગ્રણીઓ અધિકારીઓ તથા આમંત્રીતો ઉપસ્‍થિત રહેશે.

રાત્રે ૯.૩૦ થી ૧ર.૩૦ કલાક સુધી શ્રી શ્‍યામ ધુન મંડળ દ્વારા રામધુન તથા તા.૬-પ-રરને શુક્રવારે બપોરે ૧ર.૩૦ કલાકથી લોહાણા મહાજન વાડી-દિવાનપરા-વાંકાનેર ખાતે પ્રસાદનો લાભ લેવા ચંદારાણા પરિવારના મોભી ધીરજલાલ ડી.ચંદારાણા, લિનેશભાઇ ચંદારાણા, મનોજભાઇ ચંદારાણા, હિતેશભાઇ ચંદારાણા, જગદીશભાઇ ડી.ચંદારાણા, કૌશીકભાઇ ડી.ચંદારાણા, રાજેશભાઇ બી.ચંદારાણા, કુસુમબેન એ.તન્ના (રાજકોટ) તથા કેવલ નિલેશભાઇ ચંદારાણાએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(11:40 am IST)