Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

લીલીયાના લોકાની સીમમાં હત્‍યા કરનારના ૪ દિવસના રિમાન્‍ડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૪ : સાવરકુંડલા હાલ સુરત રહેતા સુરશે રાજાભાઇ સોલંકીને આરતીબેન જેરામભાઇ પરમાર સાથે આડા સંબંધ હોય જેના કારણે પત્‍ની શોભાબેન સાથે ઝઘડાઓ થતા હોય અને નડતરરૂપ થતી હોવાની સુરતની લીલીયા તાલુકાના લોકો ગામની સીમમાં સુરધનદાદાના દર્શન કરવાનું બહાર બતાવી અવાવરૂ જગ્‍યાએ લઇ જઇ ગળાટુંપો આપી મોત નિપજાવી લાશને ખાડામાં રહેવા દીધેલ જે બનાવમાં તપાસનીશ અધિકારી ઇન્‍ચાર્જ પીઆઇ કે.સી.રાઠવાએ આરોપી સુરેશ રાજાભાઇ સોલંકીને હત્‍યાના ગુન્‍હામાં ઝડપી પાડી સાવરકુંડલા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રીમાન્‍ડ મંજૂર કરેલ છે.

આપઘાત

બાબરા તાલુકાના કલોરણા ગામે રહેતી પુજાબેન ગોપાલભાઇ ડાભી પતિ ગોપાલ  વિનુભાઇ ડાભીએ વાસણ ધોવાનું જણાવતા ના પાડતા બંને વચ્‍ચે સામાન્‍ય બોલાચાલી થતા ઠપકો આપતા પોતાને લાગી આવતા પોતાના ઘરે રૂમમાં સાડી વડે આડશ સાથે બાંધીને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્‍યાનું પતિ ગોપાલ વિનુભાઇ ડાભીએ બાબરા પોલીસમાં જાહેર કરેલ છે.

મોત

લાઠી પ્રતાપગઢ રોડ જીગાભાઇની વાડીએ મુળ એમપીની હાલ લાઠી રહેતી કેસરીબેન ભગુભાઇ ભરાડીયા (ઉવ.૧૭) કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજ્‍યાનું ભાયાભાઇ ભગુભાઇ ભરાડીયાએ લાઠી પોલીસમાં જાહેર કરેલ છે.

(1:47 pm IST)